જ્યાં ગરવો ગઢ ગિરનાર છે,
ને ગરવો ગઢ દાતાર છે…
જ્યાં ગૌરવવંતા ગાન પ્રભાસ ક્ષેત્ર ના ગવાય છે,
ને શૌર્યવાંતા ગાન વીર હમીરજી ના ગવાય છે…
જ્યાં કેશિનીષુદન નો દ્વારકાધીશ ખાતે આવાસ છે,
ને અરીસુદન (રણછોડરાય) નો ડાકોર ખાતે નિવાસ છે…
જ્યાંના કવિ કલાપી ‘ કલાપી તીર્થ ‘ થકી વિખ્યાત છે,
ને કવિ મેઘાણી પોતાની શાયર્તા થકી પ્રખ્યાત છે…
જ્યાં માતા નર્મદા ગરીબની રોજગાર પ્રદાતા સાબિત થાય છે,
ને સખી રેવા ખેડૂની નીર પુરવઠાકાર સાબિત થાય છે…
ગુર્જર આબાદિત ભૂમિ એટલે આપણું પવિત્ર ગુજરાત છે,
ગુર્જર પ્રદેશ ભૂમિ એટલે આપણું પુનિત ગુજરાત છે…
આ સૌરભ દ્રવ્ય છે આપણા ગતિશીલ ગુજરાત નું,
ને ગૌરવ કાવ્ય છે આપણા પૌરાણિક ગુજરાત નું…
– નંદન ત્રિવેદી ‘ ભૂતેશ્વર ‘